કુદરતી વજન ઘટાડવાના ૮ સરળ ઉપાયો

હવે વજન ઘટાડવા માટે તમારે બેચેન બનવાની જરૂર નથી.

આવું તમે ક્યારે સાંભળો છો?"મને લાગે છે કે મારું વજન વધી ગયું છે, મારે પાતળા થવુ પડશે"--આ પછી ગમે તેમ કરીને એ વધારાનું વજન ઘટાડવાની રીતો માટે સઘન ચર્ચાઓ શરૂ થાય છે.

જીમમાં કલાકો સુધી મહેનત, માત્ર સ્વાસ્થ્યપ્રદ જમવા માટે સ્વાદની દ્રષ્ટીએ ટેવાવું--  કદાચ તમે આ બધું અને બીજુ ઘણું બધુ અજમાવી જોયું હશે જેથી પહેલાની જેમ સુડોળ શરીર બને. તો હવે કઈંક એવું  જે કુદરતી છે, જેની કોઈ આડઅસર નથી, બહુ સરળ છે અને દિવસમાં માંડ ૧૫-૨૦ મીનીટ લાગે તેવું કરી જુઓ તો?

ધ્યાન, સરળ છત્તા કામિયાબ પ્રક્રિયા છે. આશ્ચર્ય થાય કે જે મન સાથે સંકળાયેલું છે તેને વજન ઉતારવા સાથે શું સંબંધ? ચાલો જોઈએ કેવી રીતે ધ્યાન તમને કુદરતી રીતે વજન ઓછુ કરવામાં મદદ કરી શકે.

#1 તમારા BMRને વિના પ્રયત્ને ઓછુ કરો

જો તમે વજનને નિયંત્રણ કરવાનો કાર્યક્ર્મ અપનાવ્યો છે તો તમે તમારા શરીરમાં BMR (ચયાપચયની ક્રિયાના મૂળ દર)ને નિયમિત રીતે તપાસતા હશો. તમારો BMR જાણવાથી તમે ઓછી કેલરી લેતા થશો અને આ રીતે વજન ઘટાડશો. જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમારા શરીરનો BMR ઘટે છે. ઍટલે કે તમારા શરીર દ્વારા લેવાતી વધારાની કેલરી ઓછી થાય છે. આમ, વજન ઘટવું  એ આનું કુદરતી પરિણામ છે.

#2 તમારા કસરતના કાર્યક્રમને ઝટકો આપો

યોગ કરવાથી

તમે જોયું છે કે જો તમે થોડા દિવસ માટે કસરત કરવાનું બંધ કરો છો તો તરત તમારું વજન ઍક્દમ વધવા માંડે છે? એનું કારણ એ છે કે તમે જેટલું જમો છો તેટલી કેલરી બાળતા નથી. જીમમાં કસરત કરવાથી તમારી ભૂખ ઉઘડે છે, પરંતુ જરૂરી નથી કે સંઘટન સુધરે. 

યોગ કરવાથી અને ધ્યાન કરવાથી સંઘટનમાં સુધારો થાય છે અને કેલરીથી ભરપૂર આહાર લેવાની ઈચ્છા ઓછી થાય છે. આથી,તમને ભૂખ લાગે છે પરંતુ તમે ઓછી માત્રામાં ખોરાકથી સંતોષ પામો છો. આની શરીરના વજન પર લાંબા ગાળાની અસર થાય છે. જો તમે થોડા દિવસો સુધી કસરત નથી કરી શકતા તો પણ ઓચિંતા તમારું વજન વધી જતું નથી.

#3 તમારું સમતુલન પાછું લાવો

શરીરમાં અંતઃસ્તાવોના અસમ્તુલનને પરિણામે ક્યારેક  વજનમાં અતિશય વધારો કે  પછી ઘટાડો થાય છે. ધ્યાન તંત્રમાં સંવાદિતા પાછી લાવવામાં સહાયરુપ છે જેથી જો તમે સ્થૂળ છો તો તમારું વજન ઉતરે છે અને જો તમે પાતળા છો તો વજન વધારવાની તમને ક્ષમતા મળે છે.

#4 લલચાઈ  જવાની માત્રા ઓછી કરો

 

જ્યારે વજન ઉતારવાની બાબત હોય ત્યારે બધા પ્રકારના આહાર માટેની તમારી લાલચ એ  મોટામાં મોટો અંતરાય છે. જ્યારે બેકરી પાસેથી દરેક વખતે પસાર થતાં સરસ સુગંધ આવતી હોય તો પોતાને માટે ડોનટ ખરીદી લેવાનું કેટલું સરળ છે? નિયમિત ધ્યાન કરવાથી આ થોડું સરળ બની શકે છે.

ધ્યાનથી જાગૃતિ વધે છે. આથી તમે તમારી આહારની ટેવો પ્રત્યે વધારે ધ્યાન આપો છો. તમે જ્યારે ચિપ્સ કે ચૉક્લેટ લેવા ઈચ્છો છો ત્યારે તરત જાગૃત થઈ જાવ છો કે આ તમને વજન ઉતારવામાં મદદ નહીં કરે અને તમે બીજા સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો પસંદ કરો છો. વળી, નિયમિત ધ્યાન કરવાથી એક  સમય એવો આવે છે જ્યારે તમને જણાશે કે તમારી લાલચો જતી રહી છે. માટે તમે વારંવાર ચિપ્સ કે કુકીસ માટે આકર્ષાશો નહીં.

દિવ્યા સચદેવ જણાવે છે , " એક વર્ષ પહેલાં હું ખૂબ ચોકલેટ ખાતી હતી, દિવસમાં એક પણ ન ખાઉ તો મને બેચેની થઈ જ્તી. મારું વજન વધતું અને મારી જાતને કેવી રીતે રોકવી તે મને સમજાતું નહોતું. ૨ મહિના સુધી નિયમિત ધ્યાન કરતાં મને જણાયું કે મારી લાલસા જતી રહી હતી અને હું સરળતાથી ચોકોલેટ માટે મારી જાતને નિયંત્રિત કરી શકતી હતી. મેં ધ્યાન કરવાનું ચાલુ રાખ્યું છે અને મારું ૭ કિલો વજન ઉતરી ગયું છે."

# 5 તમારા સંકલ્પને જુસ્સાથી વળગી રહો

તમારા વજન ઉતારવાના કાર્યક્રમના જોખમોનો શિકાર થઈ જવાનું કેટલું સરળ છે તે તમે નોંધ્યું છે? નીંદ્રા, જંક ફૂડ, ગળ્યું ખાવાનું--આ બધામાં તમને બહુ સરળતાથી તમારા વજન ઉતારવાના કાર્યક્રમમાંથી બહાર લાવી દેવાની ક્ષમતા છે. તમારા સંકલ્પ માટેની આ કસોટી છે જેમાં ધ્યાન સહાયરુપ થઈ શકે છે. રોજ નિયમિત ધ્યાન કરવાથી વજન ઉતારવાનો તમારો ઈરાદો મજબૂત બને છે જેથી તમે કસરત, માપસર આહાર અને અન્ય સ્વાસ્થ્યપ્રદ ટેવો માટે વધારે કટિબધ્ધ બનો છો.

ધ્યાન ઇરાદાના અમલીકરણને મજબૂત બનાવે છે.

મયંક ઠક્કર જણાવે છે,"ધ્યાન મને આંતરિક તાકાત તથા રોજ કસરત કરવાનો સંકલ્પ પુરો કરવાનું આત્મબળ આપે છે.

#6 તણાવને દૂર કરો

હવે ફરી તમે જ્યારે ચૉક્લેટ કે બીજી નક્કામી વસ્તુ માટે લલચાવ, ત્યારે અવલોકન કરો કે તમે શા માટે આવું કરી રહ્યા છો?  કોઈ કારણસર તમે ( ઘરના/ કામની જગ્યાના) તણાવમાં છો? મનમાં તણાવને લીધે ગમે તે સમયે ખાધા કરવાની વૃત્તિ થાય છે. આનાથી તણાવમાંથી ક્ષણિક મુક્તિ મળે છે. પરંતુ જો તમે ધ્યાન કરો છો તો કુદરતી રીતે તમે તંત્રમાં એકત્રિત થયેલા ગહેરા તણાવને  પણ મુક્ત કરી દો છો. તણાવને  નાથવાનો તથા શરીરને સુડોળ પણ રાખવાનો આ વધારે સ્વાસ્થ્યપ્રદ માર્ગ છે.

કોમલ્ કૌર જણાવે છે," પહેલા મારા પુરુષમીત્ર સાથે થતા વિખવાદથી મને ખૂબ તણાવ થતો, અને તેમાંથી બહાર આવવા ખાધા કરતી. તેની સાથેના દરેક  ઝઘડા પછી હું અવશ્ય વધારે ખાતી. મેં મારા વજન ઉતારવાના કાર્યક્રમમાં સુદર્શન ક્રિયા તથા ધ્યાનને સ્થાન આપ્યું જેથી તે મને શાંત પડવામાં સહાયરુપ થાય, આ પ્રક્રિયાઓનો આભાર કે હું હવે વધારે ખાતી નથી અને એનાથી મને વજન ઉતારવામાં ચોક્કસ મદદ મળી છે."

#7 તમારા વજન ઉતારવાના કાર્યક્ર્મ માટે સમય ફાળવો

જો વજનના નિયંત્રણ માટે પ્રયત્નો કરવામાં તમને સમયનો  અભાવ રોકે છે તો તેનું કાયમ માટે નિરાકરણ છે– ધ્યાન .તે તમને દિવસ દરમ્યાન વધારે સમય ખોળવામાં મદદ કરશે! અને ધ્યાન કરવા માટે દિવસમાં ૧૫-૨૦ મીનીટ જ ફાળવવી પડે છે. તમારી અનુકુળતા પ્રમાણે દિવસમાં ગમે ત્યારે આટલો સમય તો કાઢી શકો ,બરાબરને? ખરેખર, તમારું શરીર તમારા સમયમાંથી ૨૦  મીનીટ  માટે તો લાયક છે જ.અને જ્યારે ધ્યાન કરવાથી તમારી કાર્યક્ષમતા વધે છે તો તમે તમારા બધા કાર્યો ઓછા સમયમાં પૂરા કરી શકો છો અને વજન ઉતારવાની તમારી યોજના માટે વધારે સમય પણ ફાળવી શકો છો.

#8 પોતાની જાતને પોતાના માટે પ્રિય બનાવો

 

વિચિત્ર લાગે છે? જ્યારે તમે સ્થૂળ છો, એ સ્વીકારી લીધુ છે ત્યારે વજન ઉતારવાની શી જરૂર છે એવુ આશ્ચર્ય થાય છે? આનું કારણ એ છે કે જ્યારે  તમે તમારા શરીરના દેખાવને સ્વીકારો છો ત્યારે તમે શાંત અને અંદરથી સ્થિર થઈ જાવ છો અને બધી બાબતો માટે ચિંતા કરવાનું બંધ કરી દો છો. મનની આવી અવસ્થામાં વજન ઘટાડવા પ્રયત્નો કરવાનું વધારે સરળ રહે છે અને તમારી મહેનત પણ વધારે અસરકારક બને છે. આનો ઍક વાર અખતરો કરી જુઓ.  તમે થોડા સ્થૂળ છો તેનાથી શું થઈ ગયું? નિશ્ચિંત રહો, તમારા શરીરને પ્રેમ કરો અને તમારા જીવનમાં પરિવર્તન થતું જુઓ.

નોંધ: દરેક શરીરનો પ્રકાર અલગ હોય છે, માટે દરેક વ્યક્તિમાં યોગ અને ધ્યાન કરવાના પરિણામો અલગ અલગ મળે. તમારો અનુભવ અન્યો કરતાં અલગ હોઈ શકે છે. સરખામણી ના કરો, આશા અને ધીરજ ના ગુમાવો. ધ્યાન તરત ફળ આપતું નથી, પરિણામ મેળવવા તેને રોજ કરવું પડે છે.

શ્રી શ્રી  રવિશંકરના જ્ઞાનના વાર્તાલાપોમાંથી પ્રેરિત

પ્રીતિકા નાયર દ્વારા

સહજ સમાધિના શિક્ષકો ભારતી હરીશ તથા પ્રિયદર્શિની હરીરામના સૂચનો ઉપર આધારિત.

પ્રેરણાનોં અભાવ કે બેચેની લાગે છે? તમારા અંગત કે વ્યવસાયિક જીવન પર લાગણીઓ હાવી થઈ ગઈ છે?  રોજની સમસ્યાઓનો સામનો કરવા તથા તમારા જીવનને ઉત્કૃષ્ટ બનાવા ધ્યાન કેવી રીતે મદદરૂપ થાય તે શીખવા નીચેનું ફોર્મ ભરો.