પુરાણો પ્રેમ ..

જો કોઈ તમારા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવે,તો તમે શું કરો? ૧..ઘણી વાર કઈરીતે પ્રતિસાદ આપવો તે સમજ પડતી નથી.૨..કૃતજ્ઞતા અને સંકોચ અનુભવો છો.૩..સંકોચ અનુભવો,શરમાઈ જાવ છે.૪..મૂર્ખ અને ત્રાસ ની લાગણી અનુભવો છો.૫..જરૂરી નહોય તેમ છતાં તમે પ્રતિ લાગણી વ્યક્ત કરો છે.૬..વ્યક્ત થયેલ પ્રેમ મા અને પોતાની/સ્વ ની પાત્રતા અંગે શંકા કરો છો.૭..આદર ગુમાવવાનો ભય લાગે છે,કારણ કે પ્રેમ મા અંતર/દુરી હોતી નથી,અને આદર હમેશાં અંતર રાખે છે.૮..તમારો અહમ વધારે સખત થાય છે અને તમને તે પ્રાપ્ત કરવા અને પ્રત્યુતર આપતાં અટકાવે છે. સાચો પ્રેમ પામવા ની ક્ષમત પ્રેમ આપવાની ક્ષમતા સાથે જ આવે છે.

તમે જેટલાં હશો,અને અનુભવ ને આધારે,તે જાણો કે તમે ખુદ જ પ્રેમ છો,તમે કોઈ પણ રીતેની પ્રેમ ની અભિવ્યક્તિ મા પોતીકાપણું અનુભવશો.,તમારા અંતર ના ઊંડાણ મા તમે જાણો જ છો કે-:પ્રેમ એ કોઈ લાગણી નથી.તે તો તમારું અસ્તિત્વ જ છે. પ્રેમ ત્રણ પ્રકાર ના હોય છે.આકર્ષણ ને કારણે થતો પ્રેમ,સુવિધા ને કારણે થતો પ્રેમ,અને દિવ્ય પ્રેમ.આક્ર્કન ને કારણે થતો પ્રેમ ઝાઝું ટકતો નથી.તે આકર્ષણ ને અપારિવારિકતા કારણે થયેલો હોવાથી,આકર્ષણ ઝડપ થી સમાપ્ત થતાંજ તમે કંટાળો અનુભવો છો,જેવું મોટાભાગ ના પ્રેમ લગ્નો મા બનતું હોય છે.પ્રેમ અદશ્ય થઇ જાય છે,અને સાથે સાથે ભય,અનિશ્ચિતતા,અસલામતી,અને ઉદાસી લાવે છે.

આરામ અને પારિવારિકતાકારણે થયેલો પ્રેમ પાંગરે છે.પરંતુ આ પ્રેમ મા કોઈ રોમાંચ,કોઈ ઉત્સાહ,આનંદ,અથવા તેની માટે ની લગન હોતા નથી.દાખલાતારીકે-તમને તમને તમારા કોઈ નવી વ્યક્તિ કરતાં તમારા જુના કોઈ પરિચિત મિત્ર સાથે વધારે ફાવતું હોય.દિવ્ય પ્રેમ આ બન્ને પ્રેમ ની બાદબાકી કરી નાખે છે.તેમાં હરહંમેશ તાજગી હોય છે.તમે જેટલાં તેની નજીક જાવ,તમને વધારે ને વધારે ઊંડાણ અને આનંદ પ્રપ્ત થાય છે.તેમાં કદી પણ કંટાળા ને અવકાશ નથી.અને દરેક ને પ્રફુલ્લિત રાખે છે. દુન્યવી પ્રેમ એક દરિયા જેવો છે.,તેમ છતાં તેને પણ અંત/તળિયું હોય જ છે.

દિવ્ય પ્રેમ એ આકાશ જેવો છે,જે અમર્યાદિત અને અનંત છે. દરિયા ના તળિયે થી વિશાળ આકાશ મા ઉડવાની વાત છે,પુરાણો પ્રેમ એ સંબધો થી પર છે.ઘણીવાર આપણો પ્રેમ એ સબંધ ના સંદર્ભ મા હોય છે,જેમકે-પિતા,માતા,ભાઈ બહેન,પત્ની,મિત્ર,ગુરુ,શિષ્ય વગેરે. પરંતુ પ્રાચીન પ્રેમ એ આ બધાજ સબંધો ની મર્યાદાઓ થી પર છે અને તેમાં બધાજ સબંધો નો સમાવેશ થાય છે.કોઈ પણ સબંધ મર્યાદાઓ લાવે છે,પરંતુ પ્રાચીન પ્રેમ મર્યાદાઓ થી પર છે.માત્ર પ્રેમ...પ્રેમ અને પ્રેમ જ...તેણે કોઈ નામ નહી આપો.જયારે તમે તેને નામ આપશો,ત્યારે તે સબંધ બની જાશે.અને સબંધ પ્રેમ ને મર્યાદિત/સીમિત કરે છે.

ઘણી વાર લોકો ને પ્રથમ નજર ના પ્રેમ નો અનુભવ થાય છે,પછી જુએમ સમય જાય છે,તેમ તે ઘટતો જાય છે,ક્ષીણ થતો જાય છે,અને તિરસ્કાર મા પેઈનામે છે,અને અદ્રશ્ય થઇ જાય છે.પ્રાચીન પ્રેમ કદી પણ અદ્રશ્ય થતો નથી.અલબત્ત તેનો મૃત્યુ દર(તેનું બાળ મરણ થાય છે.)મોટો હોય છે,આ પ્રેમ નાની ઉંમરે જ નાશ પામે છે. થોડા દિવસો,અઠવાડિયાઓ,મહિનાઓ અથવા થોડા વર્ષો મા તે મરણ પામે છે../ખતમ થઇ જાય છે.આ સમાજ મા પ્રેમ એ એક વૃક્ષ નહી,પરંતુ એક મોસમી પાક છે. બધાજ પત્રો,બધીજ ગીફ્ટ ની અદલબદલ થઇ શકે છે,આ બધું જ ટૂંકા સમય માં જ થઇ જાય છે.ટુંકા ગાળા માટે જ બનતું હોય છે. જયારે આ જ પ્રેમ જ્ઞાન રૂપી ખાતર ને કારણે વૃક્ષ બને છે,ત્યારે તે પ્રાચી પ્રેમ નું સ્વરૂપ લે છે જે- આજીવન હોય છે;જે વધતો જ જાયછે,ઊંડો થતો જ જાય છે,અને દ્રઢ/મજબુત થતો જ જાય છે.તેજ આપણી પોતાની ચેતના છે.તમે તમારી આસપાસ ના હાલ ના શરીર,હાલ ના નામ,હાલ ના સ્વરૂપ,અને હાલ ના સબંધ પુરતાજ સીમિત નથી.

તમને તમારો ભૂતકાળ ખબર નથી,તમારી પ્રાચીનતા ની ખબર નથી.પરંતુ એટલું જાણી લો કે- તમે પ્રાચીન છો,અને તેજ ઘણું/પૂરતું છે. તમે પ્રત્યેક/દરેક અનુભવો માંથી પસાર થાવ છો,અને છતાં એજ ચમક, નિર્દોષતા,શુદ્ધિ,બેદાગ(ડાઘ) સાથે સાથે બહાર આવો છો.અને તેથી જ તો તમે પ્રાચીન પ્રેમ છો.આધ્યત્મ ના માર્ગ પર હોવવા નો મતલબ એ છે કે- પ્રાચીન પ્રેમ ણી અનુભૂતિઓ.આ સ્થિતિ મા,હું જે કઈ છું,તેજ તો તમે પણ છો.કોઈ પણ વસ્તુ માટે ફાંફા મારવાનું છોડી દયો;જો તમે વધારે કઈ પણ શોધવા જશો તો તમને દુ:ખ જ હાંસલ થશે. શોધ પુરીબંધ થતાં જ,લક્ષ્ય શરૂ થાય છે. અહીં શુધી પહોચવા શોધ જરૂરી હતી;એક વાર તમે અહીં તમે પહોંચી ગયાછો,તો શોધ છોડી દયો,માત્ર શાંત,સ્વસ્થ રહો.જો તમે એ તમારી શોધ માંજ મંડ્યા રહેશો,તો તમને જે કંઈ મળશે ,તે તમે જે કઈ ઈચ્છો છો તે નહી હોય.જો એક જ ચમચી મા સમુદ્ર ને ભરી શલ્ય તો તે સમુદ્ર નથી જ તમે શેની શોધ કરી રહ્યા છો?તમારા મન/મગજ ની?તમને લાગે છે કે તમારું મગજ આ દિવ્ય અંશ,ઈશ્વર અથવા જે કઈ છે તેને, સમજી શકશે?જો હતો,એ તમારો ભ્રમ છે.

આ મગજ અનંત ને પારખી જ ના શકે/સમાવી જ ના શકે.તેથી જ શો હંમેશ માટે ચાલુ જ રહેશે.હું તમોને કશિશ કે-ચોતરફ ભાતાકીઅવા ને બદલે,તે બધું જ છોડી દો.અને તેણે જ શરણાગતિ કહેવામાં આવે છે. શરણાગતિ મા સત્ય ની શોધ પડતી મુકવા માટે છે.તમે હંમેશા અન્ય કંઈક જ સંભાળ્યું છે.શોધ થી સત્ય હાંસલ થાય છે!!પરંતુ હું તો કહીશ કે-આ શોધ બંધ કરો.આ તો ઝરણાંમા,નદી મા પાણી શોધવા જેવી વાત થઇ,જો તમે હજુ પણ પાણી જ શોધતા રહેશો ,તો તમે ઝરણાં થી થી દુર પહોંચી જશો.તમે જે કઈ પા છો,બસ,અત્યાર થી જ,હમણાં જ થી ખોજ કરવાનું છોડી દયો.પૂર્ણતા મા શાંતચિત્તે મગ્ન રહો,તે જ તમારો સ્વભાવ/લક્ષણ/પ્રકૃતિછે. બે અલાહ-અલગ રસ્તાઓછે-પહેલો શોધ,અને બીજો ભક્તિ.છે.શોધવું અને શોધ એ આખરે તમને નિસહાય દશા મા મુકી દે છે;કે જ્યાં તમે લાચાર થઇ ને શોધ પડતી મુકો છો.અને ત્યારે જ ભક્તિ શરુ થાય છે.અને જયારે ભક્તિ શરુ થાય છે,તમે શરણાગતિ સ્વીકારો છો,ત્યાજ બધું ઠીક-ઠાક થાય છે.પ્રેમ મા પીડા છે.કારણ કે તમે કોઈ ને ચાહો છો,ત્યારે તેનું નાનું કાર્ય,તે જે કંઈ હોય તે પણ તમને ઠેસ પહોચાડી શકે છે.અને ઘવાયેલા હોવ,તે સમયે તમે ખૂબજ ઊંડાણ મા,અને નાજુક/સંવેદનશીલ હોવ છો.પ્રેમ પણ આવીજ લાગણી-ઉતેજના ઉત્પન કરે છે.વિરહ પણ આવાજ લક્ષણો પેદા કરે છે.જો તમે અન્ય કોઈ ને પ્રેમ ના કરતાં હોવ,તો પછી તેમનાં તરફ થી ઠેસ પહોંચવા નો કોઈ સવાલ જ ઉત્પન થતો નથી,આનો સ્વીકાર કરો.તો પછી તમને આ ઠેસ મા પીડા ની લાગણી નહી થાય.અને તેજ ઠેસ તમને ઊંડા વેંરાગ્ય અને ધ્યાન તરફ લઇ જાશે.

સામાન્ય રીતે,તમે જેને ચાહો છો,તેને મેળવવા ઈચ્છો છો.અને તે પામવાની ઇચ્છા ની ક્રિયા મા તમે સુંદર વસ્તુ ને પણ અસુંદર બનાવી દયો છો.પૂજા તેનાં થી તદન ઉલટું છે.પૂજા મા આદર/સન્માન હોય છે.આ સર્જન નો આદર કરો,તમારા ખુદ ના શરીર નો આદર કરો.આદર આપવાથી ભક્તિભાવ ઉત્પન થાય છે;શરણાગતિ ઉત્પન થાય છે.દિવ્યતા/ઈશ્વર ની શરણાગતિ થી તાણ/ચિંતા,ઈચ્છાઓ થી મુક્તિ મળે છે. ભક્તિ મા,તે તપવા ની ક્રિયા મા,તમારા મા ઝંખના જાગશે.પ્રેમ સાથે ઝંખના અવશ્ય જોડાયેલી હોય જ.જો ઝંખના હોય તો સમજી જ લો કે પ્રેમ અવશ્ય હોવાનો જ.તેઓ એક જ સિક્કા ની બે બાજુઓ છે.સામાન્ય રીતે, ઝંખના જાગે,ત્યારે આપણે તે પૂર્ણ કરવાની ઉતાવળ મા હોઈએ છીએ.પરંતુ આ ઝંખના/(ઈશ્વર પામવાની)ખૂબજ સુંદર છે.તે તમારા મન/મગજ ને સંપૂર્ણ પરિવર્તિત કરશે.

પ્રાચીન પ્રેમ તો કહે છે,-“સારું,તમારે રમવું છે,થોડો સમય રમતાં આવો,કાદવ મા ખુપવા માંગો છો,સારું,કાદવ વાળા થાવ,કઈ જ વાંધો નહી.અહીં તમને સુંદર બનાવવા/યથાસ્થાને લાવવા સારા પ્રકાર નો સાબુ અને ડીટરજન્ટ છે..”પ્રાચીન પ્રેમ કોઈ ચુકાદો આપતો નથી,.પ્રાચીન પ્રેમ એ તમને કોઈ સજા પણ કરતો નથી.જજ તરીકે તો ઈશ્વર બેઠો છે ,અને ચુકાદા ના દિવસે,તે તમારા સારા કાર્યો માટે ઇનામ અને ખરાબ કાર્યો માટે સજા આપશે.આમા કોઈ પ્રેમ સૂચિત/નિર્દેશિત થતો નથી. કોઈ પણ જજ,,કોઈ પણ ધંધાદારી,કોઈ પણ વિક્રેતા પણ આમ તો કરી શકે છે.તો પછી ઈશ્વર તો ફરજ વડે બંધાયેલો કોઈ છે,તો પછી તમારે ઈશ્વર ને શા માટે ભજવો જોઈએ?તમારા ગુણો/સારા કાર્યો નું તમને સારું ફળ અને ખરાબ ગુણો/કાર્યો સમસ્યા પ્રદાન કરશે.

માત્ર ગુણ-દોષ અંગે જ વિચારો,ઈશ્વર અંગે ચિંતા ના કરો ના,અહીં કોઈ ચુકાદો નથી,જરા પણ સજા પણ નથી;તમને કોઈ ઉપદેશ/પાઠ પણ ભણાવવા નો નથી;આ બધું માત્ર એક રમત છે,નાટક છે.માત્ર એક પ્રાચીન પ્રેમ જ શાશ્વત છે.પ્રેમ માત્ર રમવાનું જ જાણે છે,તે જજ નથી,પ્રત્યેક પળ નો અહેસાસ કરો,તે ફક્ત એક રમત જ છે.તે દેખાતું નથી પરંતુ મજા જ છે,જો આ બધા જ મા પણ તમોને સમજણ ના પડે તો પણ કંઈજ વાંધો નહી./’ચિંતા ના કરો. ભક્તિ તમારો સ્વભાવ છે.જયારે તમે સ્વભાવગત હોવ,તો કોઇજ અથડામણ હોતી નથી.પરંતુ સામાન્ય રીતે,આપણે સંઘર્ષ/કોન્ફ્લીક્ટ/અથડામણ જ અનુભવતા હોઈએ છીએ.આપણા મા રહેલા નકારાત્મક ગુણો માટે આપણ ને ખરાબ લાગતું હોય છે,નકારાત્મકતા તમને નીચા/હલકા બનાવે છે,તમારા સારા ગુણો તમારા મા ઘમંડ અને ગુમાન લાવે છે,તમારું સમગ્ર જીવન ભારે-ભરખમ થઇ જાય છે. જયારે તમે આ બધુંજ માલિક/ઈશ્વર/ગુરુ ને ધરી દયો છો,ત્યારે તેમે પુષ્પ જેવા(કોમળ) બની જાવ છો. તમે ફરી ખીલી શકો છો હસી શકો છો અને પ્રત્યેક ક્ષણ ને માંની શકો છો.તમારા મા જે મોજુદ હોય છે,તે માત્ર શુધ્ધ પ્રેમ જ હોય છે. જયારે પ્રેમ ચમકે/પ્રદીપ્ત થાય છે,તે પરમ આનંદ છે.જયારે તે વહે છે,-ત્યારે તે કરુણા છે,જયારે તે ફૂંકાય છે,ત્યારે તે ક્રોધ છે,જયારે તેમા આથોઆવે/વાસી થાય ત્યારે તે ઇર્ષ્યા છે,જયારે તેમાં ગણતરી હોય છે,ત્યારે તે તિરસ્કાર થાય છે,અને જયારે તે કાર્યશીલ હોય છે,ત્યારે સંપૂર્ણતા છે.

જયારે પ્રેમ જાણે છે,ત્યારે તે સ્વ છે.!! તમારે જ્ઞાન જાળવી રાખવા ચિતા કરવાની જરૂર નથી.જયારે તમારા મા જ્ઞાન શાણપણ તરીકે પ્રસ્થાપિત થશે,તે તમારો સાથ કદી નહી છોડે.ડહાપણ તમારા ખુદ ના હૃદય માંજ પ્રસ્થાપિત થયેલું રહે છે.દિવ્યતા ને તમારી વેલેન્ટાઈન(તમને અતિપ્રિય હોય તેવું પાત્ર) આજ પહેલું અને અંતિમ કાર્ય કરવાનું છે.તમારા હૃદય ને સુરક્ષતિ રાખો,તે ખૂબજ નાજુક છે.ઘટનાઓ,નાની-નાની બાબતો તેનાં પર ઘેરી/ગાઢ અસર કરે છે.અને દિવ્યતા/ઈશ્વર થી બહેતર જગ્યા કોઈ પણ નથી,જ્યાં તમારું હૃદય સલામત અને મન-મગજ ડહાપણ ભરેલું રાખી શકાય. તમે દિવ્યતા ના વેલેન્ટાઈન બનો અને દિવ્યતાને તમારી વેલેન્ટાઈન( મધુર પ્રિયપાત્ર) બનાવો.બનાવો.. માત્ર નિજાનંદ મા રહો...અને સમજો કે તમે ઈશ્વર ના પ્રિય છો...એટલે કે અતિ પ્રિય છો.....!!!