તમારા આત્મા ની બારી.

આપણે જીવન ચેતના ના ત્રણ સ્તર મા જીવીએ છીએ.-જાગૃત અવસ્થા,સ્વપ્ન ની અવસ્થા અને ઊંઘ ની અવસ્થા.જાગૃત અવસ્થા ની સભાનતા મા ,આપણે દુનિયા નો (પાંચ) ૫ ઇન્દ્રિયો દ્વારા  અનુભવ કરીએ છીએ.-પછી તે દ્રષ્ટિ,સુગંધ,સ્પર્શ,શ્રવણ/ સંભાળવું કે સ્વાદ હોય શકે.આપણે આ ઇન્દ્રિયો વડે પ્રગતિ અને આનંદ મેળવીએ છીએ. 

દાખલા તરીકે,-આપણ ને  જે કંઈ આનંદ નો સ્ત્રોત હોય તેની જ શોધ મા હોઈએ છીએ,અને એવી વસ્તુ કે જે આપણ ને પીદાપે/દુ:ખી કરે તે ઇચ્છતા નથી.જો કોઈ પણ એક ઇન્દ્રિય ના હોય,તો  ઇન્દ્રિય નું સમગ્ર પાસુ વિલીન થઇ જાય છે./ગુમાવી દઈએ છીએ.જે કોઈ સાંભળી શકતો નથી,તે ધ્વની/અવાજ નું સમગ્ર જગત ગુમાવી દે છે.તેજ રીતે જે,જોઈશાકતા નથી,તે-આબધીજ સુંદર જગ્યાઓ અને રંગો થી વંચિત રહી જાય છે..તેથી જ ઈન્દ્રિયો એ જે સેન્સ કરવાની વસ્તુ  છે ,તેનાં કરતાં વધારે અગત્ય ની અને મોટી છે.  

દરેક ઇન્દ્રિયો ને આનંદ મેળવવા ની પોતાની માર્યાદિત ક્ષમતા હોય છે.-અંતે કોઈ પણ વ્યક્તિ કેટલું જોઈ શકે,સાંભળી શકે,કે સ્પર્શી શકે?ગમે,તેટલી સુંદર જગ્યા હોય,તો પણ કોઈ તે કાયમ જોયાજ ના કરે.ઇન્દ્રિયો ટુંકા સમય ના ગાળા મા કંટાળી જાતી હોય છે.આંખો બંધ થઇ જાય,અને આપણે ફરી પોતાનાં મા જવા ઈચ્છીએ છીએ,કારણ કે આ દરેક અનુભવ મા શક્તિ નો વપરાશ તો થતો જ હોય છે. 

ઇન્દ્રિયો કરતાં “મન/મગજ”નો ક્રમ આગળ છે.મન/મગજ અનંત છે,તેની ઈચ્છાઓ/આકાંક્ષાઓ નો પર નથી,/ઘણીજ હોય છે,પરંતુ ઇન્દ્રિયો ની આનંદ કરવાની ક્ષમતા માર્યાદિત હોય છે.સિસ્ટમમાં આ અસંતુલન તો રહેવાનું જ.લોભ વધારે ને વધારે ભોગવિ શકાય તેવી વસ્તુ ઓ ઈચ્છે છે.-માણસ થોડી-ઘણી ચોકલેટ ખાઈ શકે,તેમ છતાં,તેની ઈચ્છા તો દુનિયા ની બધી જ ચોકલેટ પામવાની હોય છે;માંસ પોતાન ના જીવન કાળ દરમ્યાન મર્યાદિત પેસા ખર્ચી શકે છે,પરંતુ તે,તો દુનિયાની બધી જ દોલત મેળવવા ઈચ્છે છે.આ લોભ છે.દુનિયા મા અત્યારે આમ જ ચાલે છે.. 

ભોગ ની વસ્તુઓ ને વધારે મહત્વ આપવાથી લોભ પેદા થાય છે.,ઈડરિયો ને વધારે પડતું મહત્વ આપવા થી વાસનાઓ ઉત્પન થાય છે,અને મગજ/મન અને તેની ઈચ્છાઓ ને અતિ મહત્વ આપવાથી માયા/ભ્રમણાઓ ઉત્પન થતી હોય છે. આપણે મન/મગજ ના ખ્યાલો ને પકડી રાખી ને અમુક ચોક્કસ પ્રકારે જીવવા ઈચ્છીએ છીએ.આમ,આપણા મન/મગજ ના ખ્યાલો અનંત ચેતના કે જે આપણો જ અંશ છે,તેને અનુભવવા/જાણવા મા અવરોધ/બાધા રૂપ બને છે.   

મારો કહેવાનો મતલબ એ નથી કે-ઇન્દ્રીયોઅઠવા તો મન/મગજ ખરાબ છે.પરંતુ આપણે વસ્તુઓ વછે નો ભેદ પારખતાં શીખવું જોઈએ.અને આપણી આસપાસ જે નિત્ય બની રહ્યું હોય તેનાથી સાવધ રહેવું જોઈએ.;અને તે આપણે સ્પષ્ટ હોઈએ તો જ શક્ય બને છે.આ ચેતના ના ઉચ્ચતર સ્તર તરફ નું પ્રથમ ડગલું છે. 

ત્યારબાદ(અથવા ઉચ્ચતમ સ્તર)નું ચેતના નું સ્તર એ કંઈક જાગૃતઅવસ્થા, નિદ્રાધીન અને સ્વપ્ન ની અવસ્થા વચ્ચે હોય છે;જેમાં આપણે છીએ તેનું આપણ ણે જ્ઞાન છે,પરંતુ આપણે ક્યાં છીએ તે જાણતા નથી.આ ‘હું છું’,પરંતુ ‘જાણતો કયાંછું,’હું છું અથવા હું શું છું એ શિવ તત્વ છે.આ સ્તર મા શક્ય હોય તેટલી અંતર ના ખૂબજ ઊંડાણ માંથી શાંતિ મળે છે.અને વ્યક્તિ તેની અનુભુતી પણ કરી શકે છે.મગજ તાજું,નાજુ,અને સુંદર બની જાય છે. 

જાગૃત અવસ્થા મા ,દરેક જોવામાં,સુંઘવામાં,ખાવામા,ઈત્યાદી મા સતત રોકાયેલો હોય છે.અન્ય બીજું છેડા નું સ્તર/ની અવસ્થા ઊંઘવાનું સ્તર /અવસ્થા છે,જયારે દરેક સંપૂર્ણપણે.અલિપ્ત અને શુષ્ક/સુસ્ત/નિરસ હોય છે.જગ્યા પછી પણ આળસ અને ભારેપણા રહેતાં હોય છે..જેમ તમે વધારે ઉંધો તેમ,શુષ્કતા વધે છે.,કારણ કે ઊંઘમાં પણ ઘણીજ શક્તિ નો વ્યય થતો હોય છે. અન્ય સ્તર એ છે કે- જેમાં –આપણે જાગૃત હોવા છતાં સંપૂર્ણ આરામ મા હોઈએ છીએ,આ જાણવું ખૂબજ જરૂરી છે.અને આપણે આ સ્તર દશ મા માત્ર ધ્યાન/પ્રાયાણામના સમયેજ હોઈએ છીએ.અનંતતા નો હિસ્સોજ હોઈએ છીએ.  

શરીર ના દરેક કોષો અનંતતા નો હિસ્સો જ છે.જીવડાં ઓ પણ ખાય છે,ઊંઘે છે અને જાગે છે,અને રોજબરોજ ની ક્રિયાઓ કરે છે.,તેઓની જેમ જીવન જીવવા નો કોઈ મતલબ નથી.આપણે ઈશ્વરે આપેલી શક્તિઓ નો ભરપુર ઉપયોગ કરાવો જોઈએ,આપણા પ્રત્યેક કોષો ની અનંતતા ધારણ કરવા ની શક્તિ.અને તેનાં માટે આપણે યોગ/ધ્યાન ની નિયમિત પ્રેક્ટીસ કરવી જોઈએ.તેમાં દિવસ ની માત્ર થોડી મીનીટો નો જ સમય આપવો પડે છે.એકવાર તે રોજ ની દિનચર્યા મા  જોડાઈ જાશે,પછી,તે બોજારૂપ કે અણગમતું કામ નહી રહે. 

ધ્યાન એતો બીજ જેવું છે.જેમ બીજ ને સારી રીતે ઉછેરવામાં આવે તેમ તેનો વિકાસ સુંદર થાય છે.તેજ રીતે,જેન આપણે ધ્યાન વધારે કરીએ,તેમ શરીર અને ચેતા તંત્ર સારું વિકસિત થાય છે.,આપણા શરીર ના ક્રિયા વિજ્ઞાન મા ફેરફાર થાય છે,અને શરીર નો પ્રત્યેક કોષ મા “પ્રાણ” પુરાય છે,અને જેમ “શરીર મા “પ્રાણ” નું સ્તર/માત્ર વધે છે,તેમ,આપણે આનંદ /તાજગી અનુભવીએ છીએ. 

આપણી સિસ્ટમ મા પ્રાણાયમ નું સંવર્ધન/જોડાણ સહજ હોય છે.કેટલાક લોકો તેણે ચેતના નું ઉચ્ચ સ્તર પણ કહે છે.હુતો તેને સામન્ય સ્તર જ કહીશ,કરણ કે-આપનામાં તે સ્તર/દશા મા રહેવાની ક્ષમતા સંપન્ન થયેલી છે.દયન/યોગ બે રીતે મદદ કરે છે-શરીર/સિસ્ટમ મા આવતા તણાવ ને રોકે છે,સાથે સાથે,શરીર મા પહેલે થી જ રહેલ /જમા થયેલ તાણ થી પણ મુક્તિ આપે છે. 

નિયમિત ધ્યાન સુખ અને પરિપૂર્ણતા તરફ લઇ જાય છે,સંવેદનશીલ ઇન્દ્રિયો ની સંવેદના વધારે છે,(તે દ્વારા જોવા,ના,ઉપવાસના,ફીલીગ ઈત્યાદી ના અનુભવ ને તીવ્ર બનાવે/વેગવાન બનાવે છે.);અને સાહજીક તા વધારે છે. 

રોજીંદા જીવન મા ધ્યાન ના જોડાણ ને કારણે,ચેતના ના પાંચમા સ્તર –જે કોસ્મિક ચેતના તરીકે ઓળખાય છે,નો ઉદય થાય છે.કોસ્મિક/વેશ્વિક ચેતના સમગ્ર બ્રહ્માંડ પોતાની ચેતના નો જ ભાગ હોય,તેવો અનુભવ કરાવે છે.જયારે આપણે વિશ્ ને આપનોજ હિસ્સો ગણીએ,ત્યારે આપણા અને વિશ્વ વચ્ચે પ્રેમ નો મજબુત પ્રવાહ વહે છે.(પ્રેમ એ લાગણી જ નહી કિન્તુ આપણું અસ્તિત્વ જ છે.તે કોઈ પ્રેમાળ માંસ દ્વારા વ્યક્ત થતી વ્હાલપ નું નાટક નથી,પરંતુ આપણું અસ્તિત્વ જ છે.)આ પ્રેમ આપણ ને વિરોધી શક્તિઓ ને સહન કરવાની,અને આપણ જીવન મા આવતી અશાંતિ/ખલેલ ને સહન કરવા ની સમર્થતા આપે છે.ગુસ્સો અને નિરાશા એ ક્ષણિક લાગણીઓ છે,જે ઉદભવે છે અને પછી જાતી રહે છે. 

સામાન્ય રીતે આપણે સુખ:પ્રદ ક્ષણો ને ભૂલી જઇ ને દુ:ખદ ક્ષણો યાદ રાખવા નું વલણ ધરાવીએ છીએ..દુનિયા ના ૯૯ ટકા લોકો આ રીતે જ કરવા ટેવાયેલા હોય છે.પરંતુ જયારે ચેતના મુક્ત થાય,ત્યારે તેને ધ્યાન રૂપી પોષણ મળેલ હોય ત્યારે,આ નકારાત્મક વાત/સોચ ને પકડી રાખવાની વાત નો પ્રથમ  નાશ થાય છે.આપણે પ્રત્યેક ક્ષણ મા જીવતા શીખી જઇએ છીએ.અને ભૂતકાળ છોડી દઈએ છીએ.આ ઘણું જ અગત્ય નું છે,કારણકે- તમે ગમે તેટલા સારા લોકો સાથે વાતચીત કરતાં હોવ,છતાં કોઈપણ સબંધ મા ગેરસમજ અવશ્ય થતી જ હોય છે.જયારે નાની અમથી પણ ગેરસમજ થાય છે,આપણી લાગણીઓ ફૂટી નીકળે છે,આપની લાગણીઓ ઘવાય છે અને નકારાત્મકતા ને પોષે છે. 

પરંતુ જો આપણે જતું કરવા અને પ્રત્યેક પળ ની સુંદરતા ઉજાગર/માણવા ની  ચેતના ની ક્ષમતા પર આપણું લક્ષ કેન્દ્રિત કરી શકીએ તો આપણું ઉપરોક્ત બધી જ બાબતો થી રક્ષણ થાય છે.આપણા વિકાસ માટે પ્રત્યેક ક્ષણ સહાયક અને સ્તુત્ય એ સત્ય નો ઉદય થાય છે.આમ,ચેતના ના ઉચ્ચતમ સ્તર ને પામવા માટે કોઈ,ખાસ આયોજન કરવાની જરૂર નથી.;દરેકે માત્ર જતું કરવાનું જ શીખવા નું છે. 

ચેતના ના ઉચ્ચ સ્તર માંની વ્યક્તિ દરેક વસ્તુ જાણતી હોય તેવિ અપેક્ષા રાખવા મા આવે છે.પરંતુ જયારે મન/મગજ અને ચેતના જયારે બધુંજ જાણવાની ક્ષમતા ઘરાવતા હોય,તો તે બહુજ જાણતા હોય તે શું જરૂરી છે?”બધી જ જાણકારી” અર્થ માત્ર એજ કે તમે જે બધુંજ જાણો છો તે માટે ની સભાનતા જ છે.આ સ્તર મા,બન્ને જ્ઞાન અને અજ્ઞાન સાથેજ રહે છે,અને એક બીજા ના પુરક હોય છે.દાખલા તરીકે,રમત રમતી સમયે,તમે પહેલાં થી જ પરિણામ જાણતા નથી,તેથી રમત નિષ્ઠા અને આનંદ થી રમાય છે.જો રમત રમતી વખતે જ પરિણામ ની જાણકારી હોય,તો રમત મા અને તે રમનારાઓ ની લગન જાતી રહે શે. 

તેજ રીતે,તમે જાણતા જ હોવ કે કોઈ મિત્ર ૧૦ વર્ષ મા તમને છોડી દેશે,તો તે ની અસર તે વ્યક્તિ ના તમારા સબંધ પર આજે પણ પડશે.જો જીવન મા બધું જ સરળ રીતે,અને આયોજન બદ્ધ આગળ જ ચાલતું હોય,તો જિંદગી મા કોઈ રસ નહી રહે.આખરે તો,વાર્તા નો આનંદ/મજા તો તેનાં રહસ્ય માંજ હોય છે.અને આજીવન એ ક્યાં કોઈ મોટો સોદો છે?માત્ર ૫૦-૬૦ વર્ષ જ?તે તો કંઈ જ નથી.આવી તો ઘણીજ જિંદગીઓ આ દુનિયા મા આવે છે,ઘણાજ શરીર મા વસે છે,ઘણાજ કાર્યો કરે છે,તેમાં એક જીવન તો સાવ જ નગણ્ય છે. 

જયારે તમે આવાત સમજો,ત્યારે નાની વસ્તુઓ તમને સંતાપ/દુ:ખ નહી આપે.જીવન ના દરેક ઉતાર-ચડાવ આ રમત ને વધારે રસપ્રદ બનાવશે.જયારે તમે કોઈ પણ ક્ષણે  તમારી અંદર ના આત્મા/ચેતના ને જોશો,તો તમને તમને આ બ્રહમાંડ મા દરેક પળે અસંખ્ય ક્રિયાઓ બનતી જણાશે,-લોકો ચાલે છે,ઊંઘે છે,ઊંઘવાની તેયારી કરે છે,વાહન ચલાવે છે,કામ કરે છે;ચિકન ઈંડાં માંથી બહાર આવે છે,દેડકાઓ ડ્રાઉં-ડ્રાઉં કરે છે,વાઇરસ અને બેક્ટેરિયા લોકો ને ચેપ લગાડે છે,-તે એક ક્ષણ મા આ અનંત સર્જન મા  અસંખ્ય વસ્તુઓ થાય છે,અને તેમ છતાં ચેતના એ બધુંજ જાણે છે.     

દરેક માણસ અંતર ના ઊંડાણ મા આ વિશ્વ અંગે બધું જ જાણે છે.આ જ્ઞાન દરેક વ્યક્તિ મા મોજુદ હોય છે,તમે આ પ્રક્રિયા ના એક ભાગ છો.જેમ તમારી ચેતના ખીલે છે,સમગ્ર સિસ્ટમ/શરીર શારિરીક,માનસિક,અને આદ્યાત્મિક રીતે ઉન્નત થાય છે.તમારું જીવન જીવવાલાયક બની જાય છે. 

ચેતના નું આ ઉચ્ચસ્તર એ કંઇ તમારા દિમાગ મા કોઈ સુંદર સવારે સ્વર્ગ માંથી આવીને બેસી જવાનું નથી.ચેતના નું બીજ તમારી અંદર જ છે,-તમારે તો માત્ર ધ્યાન ની સાદી તરકીબ વડે તે બીજ ને ઉછેરવાનું જ છે.કેટલાક પામ ના વૃક્ષો ૩ વર્ષ મા ,કેટલાક ૧૦ વર્ષ મા ફળ આપે છે.અને જેની કાળજી લેવામાં/ઉછેરવામાં નથી આવતા નથી તેઓ તો ફળ આપતા નથી.તેઓ માત્ર અસ્તિત્વ જ ધરાવે છે... 

જ્ઞાન,સમજણ અને પ્રેક્ટીસ ના સંગમ થી Tજીવન પોર્ર્ણ બને છે.જયારે તમે ચેતના ના ઉચ્ચસ્તર મા હોવ,તમે અનુભવશો કે તમે કદી અલગ-અલગ પરિસ્થિતિ મા અને વિક્ષેપો/અશાંતિ મા સંતુલન ગુમાવતા નથી. અને સુંદર અને છતાં મજબુત -કોમળ,નાજુક ,નાજુક અને સુંદર ફૂલ જેવાં કે જે જીવન મા કોઈ પણ શર્ત વગર જીવન  વિવિધ મૂલ્યો નો સમાવેશ કરી શકવા સક્ષમ બનો છો.