શ્વાસ જાણો, જીવન જાણો - Know Breath, Know Life

આયુર્વેદ ના એક આચાર્ય એ કહ્યું છે-“રસ સિધ્ધે કરિસ્યામી ,નિર્ધારીધ્યમ ઇદમ જગત...”જેનો મતલબ એ છે કે- ;હું આ આર્યુર્વેદ નું જ્ઞાન વિશ્વ /જગત ની પીડાઓ દુર કરવા આપું છું.”તેથી આયુર્વેદ નો જીવન પ્રતિ અભિગમ સમગ્રત છે. 

જીવન ની ૪ લાક્ષિકતાઓ છે.તે અસ્તિત્વ ધરાવે છે,બદલાય છે,વ્યક્ત થાય છે,અને નાશ પામે છે.તે પાંચ તત્વો પાર આધારિત છે.:પૃથ્વી/જમીન,પાણી,હવા,આકાશ અને અગ્નિ.તેને સમજવા મા સહેલી બનાવવા માટે આપણે ૫ ઇન્દ્રિયો ને અને તેનાં હેતુઓ વિશે વિચારી શકીએ:દ્રષ્ટિ,ગંધ,સ્વાદ,ધ્વનિ,અને સ્પર્શ.જીવન નો અભ્યાસ એ આયુર્વેદ છે.(વેદ એટલે જાણવું અને આયુર એટલે જીવન ) 

 આયુર્વેદ પ્રમાણે જીવન કે અસ્તિત્વ એ કોઈ કઠોર /જડ વસ્તુ નથી પરંતુ સંવાદિતતા પૂર્ણ પ્રવાહ છે.ત્યાંસુધી કે પાંચ તત્વો કે જેનું આ અખિલ બ્રમાંડ સર્જાયું છે,તે પણ કોઈ સજ્જડ વ્યાખ્યાતીત વસ્તુઓ નથી.તેઓ એકમેક મા વહે છે. આ તત્વો મા ના પ્રત્યેક મા અન્ય ચાર સમાયેલાં હોય છે.  

આપણા મા સુક્ષ્મ અવકાશ હોય છે,કે જે મન નો બનેલો હોય છે,અને બાકી નો-ભુ-તત્વ છે કે જે માંથી  આપણા હાડકાઓ,મજ્જાતંતુઓ,અને ચામડી અને  માળખું બનેલું હોય છે.આને વધારે ૩ દોષ મા વહેચી/વિભાજીત કરી  શકાય:વાયુ,પિત્ત,અને કફ. 

શરીર વિજ્ઞાન/ફિઝિયોલોજી સમજવા ,તેની લાક્ષણીકતાઓ,અને તેની મન-મગજ પર થતી અસરો સમજવાની એક રીત છે.જયારે માંદગી આવે છે,ત્યરે તે પ્રથમ વિચાર ના સ્વરૂપે આવે છે,સુક્ષ્મ પાસુ,અને પછી ધ્વનિ રૂપે,અને પછી અસરના રૂપ મા એટલે કે લક્ષણ ના રૂપ મા આવે છે.અને તે પછી જ માંદગી શરીર મા દેખાય છે.સાદું લક્ષણ મંદ સ્વરૂપે હોય છે, જેનો ઈલાજ કરી શકાય છે,ત્યાર પછી તે ગંભીર સ્વરૂપ લે છે,જયારે તેને માટે દવા ની જરૂર પડે છે. 

એરોમોથેરાપી જેવાં ઉપચાર મા ,માંદગી ની સારવાર માત્ર સુગંધ દ્વારા જ કરવા મા આવે છે.તે મહદ અંશે સુરક્ષાત્મક ઉપાયો પાર જ આધારિત હોય છે,આયુર્વેદ ના સર્વગ્રાહી પાસા મા આનો સમાવેશ થાય છે.આયુર્વેદ નો સમગ્ર અભિગમ શ્વસન અને ધ્યાન નો સમાવેશ કરે છે.શરીર ના જુદાં-જુદાં વિકારો અને શ્વાસ વચ્ચે નો સબંધ જાણવાનું ખૂબજ રસપ્રદ છે,ખાસ કરી ને-વાયુ -પિત્ત અને ફફ..આ ત્રણ વિકૃતિઓ શરીર ના કેટલાક  ભાગો ને અન્ય ભાગો કરતાં વધારે અસર કરે છે.  

દાખલા તરીકે:,વાયુ,દોષ શરીર ના નીચે ના હિસ્સા મોટે ભાગે  થાય છે. — પેટ,આંતરડાં વિગેરે.ગેસ્ટ્રીક રોગો અને સાંધાઓ ના રોગો જેવી બીમારી વાયુ ના અસંતુલન ને કારણે થાય છે.કફ દોષ શરીર ના મધ્ય ભાગ મા મોટે ભાગે થાય છે,ખાંસી/કફ એ કફ ના અસંતુલન માંથી થાય છે.(કફ શબ્દ સંસ્કૃત શબ્દ  પાર થી આવેલો છે,)અને પિત્ત શરીર ના ઉપર ના ભાગ મા મોટે ભાગે અસર કરે છે.એટલે કે-માથું,ગુસ્સા વાળી સ્વભાવ એ પિત્ત પ્રકૃતિ નું લક્ષણ છે. 

યોગ અથવા શ્વસન ની યુક્તિઓ જેવીકે સુદર્શન ક્રિયા,(ધી આર્ટ ઓફ લીવીંગ હિલિંગ બ્રીથીગ ટેકનીક)અને ત્રણ તબક્કાનું પ્રાણાયામ (પ્રાણ/જીવન બળ શરીર ના વિવિધ ભાગો મા પૂરું પાડવા ની ક્રિયા) ની આ ત્રણેય દોષ પાર અસર થાય છે.  

વિવિધ પ્રાણાયામ અને શ્વસન ટેકનીક મા કેટલીક શ્વસન માટે ની ખાસ કસરતો શરીર ના નીચેનાં ,મધ્ય અને ઉપર ના હિસ્સા ઓ માટે હોય છે.કે જેના કારણે જે-તે  હિસ્સા મા સંતુલન જળવાઈ રહે છે.   

આપણે આપણા શરીર નું સ્વાસ્થય સારું કઈ રીતે રાખી શકીએ?પ્રથમ અવકાશ તત્વ નો ખ્યાલ રાખી ને-મન/મગજ –જો મન ઘણીજ બધી છાપો અને વિચારો થી ખદબદતું/ભરેલું હશે તો તે તમારી પ્રતિકારક શક્તિ નું ધોવાણ/ક્ષીણ કરશે.અને તે શરીર ને માંદગી તરફ લઇ જાશે.જો મન ચોખ્ખું હશે,શાંત હશે,ધ્યાનમય  હશે,અને આનંદ મા હશે તો શરીર ની પ્રતિકારક શક્તિઓ વધશે.અને તેનાં કારણે માંદગી શરીર મા પ્રવેશી શકશે નહી. 

પ્રથમ  ઉપાય-મન/મગજ –જે સર્જન નું અતિ સુક્ષ્મ પાસુ કે જે આકાશ તત્વ ને આભારી છે,તેને શાંત રાખવાનો છે, 

અને પછી હવા તત્વ આવે છે,શ્વાસ/ઉશ્વાસ (શ્વાસોશ્વાસ,)એરોમોથેરાપી ઈત્યાદી આ વર્ગ મા આવે છે.  

પછી નું તત્વ છે-પ્રકાશ તત્વ;અહીં રંગ ચિકિત્સા/ થેરાપી આવે છે.અહીં રોગ શરીર મા આવે તે પહેલાં તમે માણસ મા તેનાં લક્ષણો જોઈ શકો છો.અને આપણી સિસ્ટમ/શરીર ને પ્રાણ શક્તિ/ઊર્જા શક્તિ થી પ્રાણવાન/શક્તિશાળી બનાવવા થી આ લક્ષણો દુર કરી બીમારી ટાળી શકાય છે. 

યોગ એ આજ તો કાર્ય કરે છે.યોગ નો હેતુ જ –“રોગ/ગમગીની/દુ:ખ આવે તે પહેલાં જ તેને અટકાવવા નો છે..”ગમગીની/રોગ ના બીજ ને અંકુરણ પામે તે પહેલાજ નાશ કરવાનો છે. 

 પછી પાણી તત્વ આવે છે.માત્ર પાણી જ પી અને ઊપવાસ કરવો,અથવા પાણી વડે શરીર/સિસ્ટમ ને શુદ્ધ કરવા ને કારણે શરીર મા સંતુલન આવે છે. 

 અને અંતિમ આશ્રય છે-વિવિધ મેડીકલ/ઔષધીય  વનસ્પતિઓ દવાઓ અને શસ્ત્રક્રિયા .આ બધું બધાજ ઉપાયો નિષ્ફળ જાય અથવા આપણે આ બધા પગલાઓ ની ઉપેક્ષાઓ કરીએ પછી જ આવે છે. 

આપણા શ્વાસ મા ઘણાજ રહસ્યો છુપાયેલા હોય છે,કારણ કે- મન ની દરેક ભાવનાઓ માટે શ્વાસ મા તેને અનુરૂપ લય હોય છે.અને પ્રત્યેક લય શરીર ના કેટલાક ભાગ મા શારીરિક અસર કરેછે.તેની અનુભુતી કરવા માટે તમારે ફક્ત તેને જોવાની જ જરૂર છે.ઉદાહરણ તરીકે- આપણે જયારે ખુશ હોઈએ ત્યારે આપણા મા એક વિસ્તરણ ની ભાવના જોવા મળે છે.અને જયારે દુ:ખી હોઈએ ત્યારે સંકોચન ની ભાવના અનુભવીએ છીએ.જોકે આપણે ખુશી અથવા ગમ અને ઉત્તેજના અનુભવીએ છીએ,પરંતુ આ જોડાણ સમજવા મા નિષ્ફળ જતાં હોઈએ છીએ. 

જ્ઞાન એટલે જાણવું અને જે વિસ્તરે છે.તે શું છે?આ જ્ઞાન,આ પુછતાછ,એ ચેતના,સભાનતા એ જિંદગી નો અભ્યાસ છે.,એટલેકે પ્રાણ નો અભ્યાસ છે,આયુર્વેદ નો અભ્યાસ છે. 

તમે કદી મીનીટ મા કેટલી વાર શ્વાસ લો છો એ ગણ્યું છે? શ્વાસ એ જીવન નું પ્રથમ કાર્ય છે અને  જીવન નું છેલ્લું કાર્ય પણ શ્વાસ જ છે.અને આ વચ્ચે આખી જિંદગી આપણે શ્વાસ લઇએ છીએ,અને શ્વાસ બહાર કાઢીએ છીએ,પરંતુ તેનાં પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ છીએ..  

શરીર ની અશુધ્ધિઓ મા ની ૯૦ ટકા શ્વાસ વાટે અંદર જાય છે,કારણ કે- આપણે દિવસ મા ચીવીસે-ચીવીસ કલાક શ્વાસ લઇ એ છીએ.જોઈએ આપણે આપના ફેફસા ની ક્ષમતા/કેપેસીટી ના ફક્ર્ત ૩૦ ટકા નો જ ઉપયોગ કરીએ છીએ.આપણે પુરતો શ્વાસ પણ લેતાં નથી. 

જૂઓ મન તો પતંગ અને શ્વાસ દોરી જેવું છે.મન(પતંગ) ને ઉચાઇ પાર જવા માટે લાંબા શ્વાસ(દોરી) ની જરૂર હોય છે.જો તમે શ્વાસ પાર ધ્યાન આપીશકો તો તમારે કોઈ પણ ચિતા કરવા ની જરૂર નથી. 

એક મીનીટ મા આપણે ૬૦ થી ૭૦ વખત શ્વાસ લઈએ છીએ. 

જો તમે અસ્વસ્થ હોવ તો,તે માત્ર ૨૦ સુધી પણ જઇ શકે છે, 

જો તમે ખૂબજ ટેન્શન અને ગુસ્સા મા હોવ તો,તે કુલ ૨૫ પ્રતિ મીનીટ પણ હોઈ શકે છે. 

જો તમે ખૂબજ શાંત અને આનંદ મા હોવ તો તે ૧૦  પ્રતિ મીનીટ હોઈ શકે.જો તમે ધ્યાનાવસ્થા મા હોવ તો ૨ થી ૩ શ્વાસ પ્રતિ મીનીટ હોઈ શકે.ઊંડા ધ્યાન થી તમે જે શ્વાસ ળો છો તેની સંખ્યા ઘટાડી શકાય છે. 

જો તમે બાળક ને જોશો/અવલોકન કરશો-તો તમને નવાઈ લાગશે કે-તે શ્વાસ ને કઈ રીતે સંતુલિત કરે છે.તેઓ શરીર ના ત્રણેય ભાગો માંથી શ્વાસ લે છે.જયારે તે શ્વાસ લે છે તેનું પેટ બહાર આવે છે,જયારે તે શ્વાસ બહાર મુકે છે,ત્યારે તેનું પેટ અંદર જાય છે.પરંતુ જયારે તમે વધારે પરેશાન અને તનાવયુક્ત હશો,ત્યારે તમે આનાથી ઉલટું કરતાં હશો.જયારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારૂ પેટ બહાર આવશે અને જયારે શ્વાસ લેશો ત્યારે તે અંદર જશે. 

આ બાબતતો માટે, જો તમે માનસિક રીતે શાર્પ હો,તો- તમારે કોઈ શાળા મા જવાની કે કોઈ પાસે શીખવા ની જરૂર હોતી નથી.પરંતુ આપણું મન ઘણી જ બાબતો,ઘણાજ નિર્ણયો,ઘણાજ અભિપ્રાયો,સને ઘણી જ બધી છ્પો મા ગુંચવાયેલું હોવાને કારણે-આપણે કુદરત ની ઘણીજ સુધ્ધ/પવિત્ર બાબતો નું અવલોકન કે પ્રતીતિ કરવાનું ચુકી જઇએ છીએ.  

તેથી આપણ ને અભ્યાસ ની જરૂર છે.યોગાસન એ એક એવી વસ્તુ છે કે જે દરેકે બાળપણ મા કરી હોય છે.તમે ૬ માસ ના બાળક ને પગ ઉચા કરી ને પીઠ પર સુતેલું જોયું છે?અને તે પગ ને ઠેલો મારી માથું પણ ઉચું કરે છે.આ લગભગ તમે પેટ ની કસરત કરો છો તેનાં જેવું જ છે.પછી તે પાછું વળી અને યોગ ની કોબ્રા જેવી મુદ્રા પણ કરે છે.અને જો તમે સુતા બાળક નું અવલોકન કરશો તો- તેનો અંગુઠો અને તર્જની આંગળી જરા અડકતી હોય છે,’ચિન-મુદ્રા ની પ્રતિકૃતિ. 

અથવા તમે પ્રાણી બાગ મા જાવ,અને વાંદરાઓ ને જૂઓ,તેઓ પોતાની જાત ને સ્વસ્થ રાખવા ઘણાં જ આસનો કરતાં હોય છે.તો આ બધી વસ્તુઓ છે જે શરીર,શ્વાસ મન અને ભાવનાઓ નું સંકલન કરે છે.અને આયુર્વેદ આ સર્વગ્રાહી અભિગમ પ્રત્યે ધ્યાન આપે છે. શરીર મા એવી ઘણી જ બાબતો છે કે જે-અલગ-અલગ લાગણી ઓ સબંધિત હોય છે.પરંતુ આ બધું એ કેટલીક બાબતો ને પ્રતિબિબિત કરે છે જે આ બધાજ થી ઉપર/પર છે.એવું કયું તત્વ છે કે જે ચેતના સ્તોત્ર છે. 

તંદુરસ્તી એટલે જ  ....રોગ મુક્ત શરીર /કંપન મુક્ત શ્વાસ /તનાવ મુક્ત –મન/સંયમ મુક્ત બુદ્ધિ /વળગાડ/ચિતા મુક્ત યાદદાસ્ત/અહંમ જે મા બધાજ સામેલ છે/અને ગ્લાની મુક્ત મન/માનસ....