આશીર્વાદપ્રદાતા વર્ગ (બ્લેસિગ પ્રોગ્રામ)

"જ્યારે તમારા મનમાં એક એવી સ્થિતિ ઉદ્ભવે છે...  જેમાં તમને પોતાના માટે કોઈ ચીજની કશી અવશ્યકતા નથી હોતી, કશાની ય અપેક્ષા નથી હોતી ત્યારે તમારા દ્વારા જે આશીર્વાદનો પ્રવાહ વહે છે તે અચૂક સફળ થાય છે." - શ્રી શ્રી

આ આશીર્વાદપ્રદાતા વર્ગ એક ગૂઢ પણ શક્તિશાળી કાર્યક્રમ છે. વ્યક્તિગત સ્તર માટે રચાયેલા આ કાર્યક્રમની અંદર કૃતજ્ઞતા અને પૂર્ણતાની ઊંડી મન:સ્થિતિ પ્રાપ્ત કરાવવા હેતુ અનન્ય પ્રક્રિયાઓ અને ધ્યાન સમાવવામાં આવ્યાં છે. સહભાગીઓ કે જેઓએ આ વર્ગ ઉતિર્ણ કર્યો છે તેમના જણાવ્યા પ્રમાણે આશીર્વાદપ્રદાતા વર્ગમાં અન્ય કોઈ સાધના કાર્યક્રમથી વધુ અલૌકિક એવા અનુગ્રહને પામવાનો અને પોતાના દ્વારા એ અનુગ્રહને પ્રસરાવવાનો અદ્ભૂત અનુભવ થાય છે.

આશીર્વાદપ્રદાતા વર્ગમાં જોડાતા પૂર્વે જરુરી બાબતો આ પ્રમાણે છે:

બે આર્ટ ઓફ લિવિંગ (ભાગ 2- ઉચ્ચતર સાધના વર્ગ ) કાર્યક્રમો કર્યા હોવા જોઈએ.

 

નોંધણી કરાવવા માટે અહીં ક્લિક કરો.