પરમ આનંદ ની શોધ માં - In Search of Happiness

દિવ્ય શક્તિ એ આપણને વિશ્વ ના  નાનાં તમામ સુખ આપ્યા છે,પરંતુ પરમાનંદ તો પોતાની પાસે જ રાખેલ છે.સર્વશ્રેષ્ઠ આનદમેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે..ઈશ્વર સાથે વધારે ચાલક થી ને તેની મૂર્ખ બનાવવા નો પ્રયત્ન ના કરો.તમારી મોટા ભાગ ની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ તો માત્ર ઈશ્વર સામે ની પંક્તિઓ-પ્રયુક્તિ ઓ જ છે.તમે ઈશ્વરને થોડું આપીને તેની પાસે થી વધારે લઇ લેવા ની ફિરાક માંજ હોવ છો,જે તેપણ જાણે જ છે. તે પણ એક બાહોશ વેપારી છે:તે પણ તમારી સાથે વધારે યુક્તિઓ કરશે.જો તમે શેતરંજી ની અંદર જશો તો તો જમીન ની અંદર જ જતો રહશે. 

તમારા પ્રયત્નોમાં/પ્રયાસો માં નિષ્ઠાવાન રહો.ઈશ્વર સાથે વધારે પડતી ચલાકી કરવાનો પ્રયત્ન ના કરો.જો તમને એકવાર પરમઆનંદ ની પ્રપ્તિ થશે,પછી બાકી નું બધું જ આનંદમય જ હશે.  

પરમાનંદ/સુખ સિવાય દુનિયા ણી કોઈ પણ વસ્તુ મા આનંદ નહી રહે. તમે આધ્યાત્મિકતા માટે ક્યાં પ્રકાર નો સમય ફાળવો છો?સામાન્ય રીતે તમે નવરાશ નો વધેલો સમય ફાળવતા હશો,કે જયારે તમારે કશુજ કરવાનું હોતું નથી જયારે કોઈ મહેમાનો આવવાના હોતા નથી,પાર્ટી મા જવાનું હોતું  નથી,સારું પિકચર જોવાનું હોતું નથી,કે કોઈ લગ્ન મા હાજરી આપવાની હોતી નથી.  

આ આધ્યાત્મ માટે નો કોઈ ગુણવત્તા-સભર સમય નથી. આધ્યાત્મ માટે ગુણવત્તા-સભર સમય ફાળવો.તોજ તેનો બદલો મળશે.તમારી પ્રાર્થનાઓ નો જવાબ નથી મળતો કારણ કે- તમે ક્યારેય પણ પ્રાર્થના માટે ગુણવત્તા-સભર સમય આપ્યોજ નથી.સત્સંગ અને ધ્યાન ને સૌથી વધુ પ્રાધાન્ય   

આપો.આધ્યત્મ માટે અગત્ય નો સમય ફાળવો.તમને ચોક્કસ પણે બદલો મળશેજ. 

ધારો કે -તમે ઈશ્વર પાસે જાવ,અને વરદાન મેળવો,અને પરત ફરો.જયારે તમારો ઈરાદો વરદાન મેળવવા નો હોય છે, ત્યારે તમે ઉતાવળ મા હોવ છો.જયારે બીજી વ્યક્તિ કે જે પોતાને ઈશ્વર નો અંશાજ સમજે છે,તે કોઈ પણ બાબતે ઉતાવળ મા હોતી નથી.તેનામાં અખૂટ ધીરજ હોય છે.જયારે તમે સમજો છો કે તમે ઈશ્વર નાજ એક અંશ છો,તો તમારે ઈશ્વર માંથી/પાસે થી કંઈક પામવાની ઉતાવળ હોતી નથી.તમારી ઉતાવળ તમને ઈશ્વર સાથેના સંતુલન માંથી દુર હડસેલી દે છે. અને તમને પામર માનવી બનાવી દે છે. 

 

‘શાશ્વત રાહ,’અનંત ધીરજ,રાખો.ત્યારે તમને અહેસાસ થશે કે ઈશ્વર તમારો જ છે.જાગૃતિ અથવાતો ધીરજ દવારા તમે આ સ્થી મા પહોંચી શકો છો.તમે તેજ પુંજ નો અંશ છો.આ કોઈ સુપર માર્કેટ મા ખરીદી કરી અને જલદી થી ઘરે આવવા જેવી વાત નથી.પરંતુ તમને ખબર હોય કે- આખે-આખો સ્ટોર જ ઘર મા છે ,તો તમને ખરીદી કરવાની ઉતાવળ હોતી નથી.તમે સ્વસ્થ હોવ છો.ધીરજ કેળવો,અને પછી વિચારો અને લાગણી ઓ જૂઓ અને કોઈ પણ પ્રકાર નો અફસોસ ના કરો. 

જયારે તમે જાણો છો કે એક દિવ્યશક્તિ ના જ અંશ છો,તમે માંગણીઓ થી મુક્ત થઇ જશો.  

પછી તમે મહેસુસ કરશો કે-પ્રત્યેક વસ્તુ તમારા માટે જ થઇ રહી છે.તમારી કાળજી લેવાઈ રહી છે. 

સામાન્ય રીતે આપણે ઉલટ રીતેજ વર્તતા હોઈએ છીએ.:આપણે આપણા મગજ ને ખૂબજ દોડાવીએ છીએ અને કાર્ય મા ધીમા હોઈએ છીએ. અધીરાઈ નો મતલબ મગજ ની તેજ દોડ;અને શિથીલતા નો મતલબ કામ મા મંદ ગતિ.મગજ મા ધીરજ અને કાર્ય મા ગતિશીલતા એ જ યોગ્ય છે.  

 

દૈવી શક્તિ તમારી કસોટી  નથી કરતી.કસોટી એ અજ્ઞાનતા નોજ હિસ્સો છે. કસોટી કોણ કરશે?જે જાણતો નથી તેજ કસોતો કરશે,કેમ સાચું ને?ઈશ્વર તમારી કેપેસિટી/ક્ષમતા જાણે છે,તેથી આપણે શા માટે તમારી કસોટી કરવી?તો પછી દુઃખ શા માટે?તે તમારા માની ક્ષમાશીલતા અને ધીરજ બહાર લાવવા માટે છે.  અને ધીરજ ને પ્રાર્થનામય શરણાગતિ અથવા જોરદાર પડકાર દ્વારાજ વધારી શકાય છે.!!! 

કર્મ ના માર્ગો વિચિત્ર છે.જેમ તમે તે વધારે જાણો તેમ તમે વધારે પ્રભાવિત થાવ છો.તે લોકો ને જોડે પણ છે અને જુદાં પણ કરે છે.તે કેટલાક ને નબલ બનાવે છે,અને કેટલાક ને સ્ટ્રોંગ/મજબુત બનાવે છે.તે કેટલાક ને તવંગર અને કેટલાક ને ગરીબ બનાવે છે.વિશ્વ ની બધીજ અથડામણો/સંઘર્ષ  પછી તે ગમે તે હોય,તે કર્મ સાથે જોડાયેલી છે.તે બધાજ તર્ક અને સમજણ  

ની બહાર છે.આ સમજણ જ તમને કોઈ સાથે નાઘટના સાથે ના અથવા વ્યક્તિ સાથેના સંઘર્ષ થી બચાવી શકશે.અને તમારી સ્વ તરફ ની યાત્રા મા મદદરૂપ થશે. 

તમે એમ પણ કહો કે ચોર કહેશે કે –ચોરી કરવી એ તો મારું કર્મ છે ?તો પછી પોલીસ નું પણ તેને પકડવાનું જ કર્મ છે!!માત્ર માનવ જીવન માંજ કર્મ થી મુક્ત થવા ની ક્ષમતા છે. અને થોડા હજાર તેનાથી મુક્ત લક્ષ્યો છે.માત્ર અનુગ્રહ દ્વારાજ કર્મ ના બન્ધન ને બળી શકાય છે.ક્રિયાઓ કરવાથી કર્મ ટાળી શકતું નથી.  

કેટલાક કર્મો બદલી શકાય છે,જયારે કેટલાક બદલી શકતા નથી.જો તમે હળવો બનાવતા હોવ,અને ખાંડ  કે ઘી જરૂર કરતાં ઓછા હોય તો  અથવા પાણી જરૂરી કરતાં વધારે-ઓછું હોય,તો તે બધુંજ સંતુલિત,ઠીકઠાક  કરી શકાય છે.પ્ર્ન્મતું એક વાર સોજી ને રાંધવા મા આવે તો ફરી પરિવર્તિત થઇ શકે નહી.છાશ ખાતી હોય તો તેમાં દૂધ ઉમેરી શકાય,તેમાં મીઠુંનામક નાંખી પીવા લાયક બનાવી શકાય.પરંતુ તનું ફરી દૂધ મા પરિવર્તન ના થઇ શકે.   

નસીબજોગ /પ્રારબ્ધ  કર્મ બદલી શકાય નહી.સંચિત કર્મ આધ્યાત્મિક ગતિવિધિઓ થી બદલી શકાય છે.સત્સંગ દરેક દુષ્કર્મ ના બીજ નો નાશ કરે છે.જયારે તમે કોઈ ના વખાણ કરો છો,ત્યારે તમે તેનાં સારા કર્મ ની વાત કરો છો.જયારે તમે કોઈ ની ટીકા/નિંદા કરો છો,ત્યરે તમે તેનાં કુકર્મો/ખરાબ કર્મો અંગે કહો છો.આ જાણો અને સત્કર્મ અને કુકર્મો  બધુંજ દિવ્ય ષ્ટિ ને સમર્પિત કરી મુક્ત થઇ જાઓ.  

માયા થી વિહ્વવળતા આવે છે અને વિહ્વવળતા માનસિક શાંતિ હણી લે છે.પછી તમે ભાંગી પાડો છો,અને દુ:ખો ના શિકાર બનો છો.તમે સંપૂર્ણપણે ભાંગી પાડો ,તે પહેલાં મજબુત બનો અને શરણાગતિ અને સાધના દ્વારા વિહ્વવળતા માંથી મુક્ત બનો.કમનસીબે,મોટાભાગ ના લોકો આ અંગે દુર્લક્ષ્ય સેવે છે,અને પછી ઘણું જ મોડું થઇ જાય છે. 

જયારે માયા રૂપી દરિયા મા કોઈ ડુબે છે,ત્યારે શરણાગતિ એ લાઈફ જેકેટ છે,તેનાં વડે બચી શકાય છે.માયા સામે ઝઝૂમવા કરતાં મોહ નું નિરીક્ષણ કરો,અને આંતર મન ની શાંત જગ્યા તરફ પ્રયાણ કરો.પ્રથમ તમે આ દિશા મા પહેલું પગલું માંડો,કે જે દિશા તમને તમારા મોહ ને જ્ઞાન,દિવ્યતા,તરફ લઇ જાશે..તમારી દુન્યવી/ભૌતિક બાબતો માટે ની વિરક્તતા એ તમારો આનંદ છે.અને તમારું દિવ્યતા સાથે નું જોડાણ એ તમારી સુંદરતા છે.  

જુઓ આ ત્રણ બાબતો/વસ્તુઓ છે:સ્વ,સેન્સીસ/સમજ,અને પ્રદાર્થઅથવા તો વિશ્વ. અને ત્રણ શબ્દો છે:સુ:ખ-આનંદ,દુ:ખ-દુ:ખ,અને સખા ,મિત્ર.આ બધાજ મા એક વસ્તુ કોમન છે kha,-જેનો અર્થ થાય છે –સેન્સ/સમજ .  

સમજ વડે સ્વ વિશ્વ નો અનુભવ કરે છે.જયારે સમજ પોતાનાં મા જ હોય,તો તે સુખ છે,કારણ કે –બધાજ સુ:કો,આનંદ નો સ્ત્રોત સ્વ/મન છે.જયારે સમજ પોતાનાં થી દુર હોય,અને દુન્યવી ભોગો મા ખુંપેલી હોય તે દુઃખ છે. 

સ્વ/આત્મા નો સ્વભાવ જ આનંદી હોય છે.કોઈ પણ આનંદ ની અનુભુતી મા તમે તમારી આંખો બંધ કરો છો,તમે સુંદર ફૂલો ની સુગંધની અનુભુતી કરો છો અથવા તમે કોઈ વસ્તુ ચાખો છો કે અડકો છો.એટલે સુ:ખ એ એવી વસ્તુ છે કે તમને સ્વ ભણી લઇ જાય છે.દુ:ખ એ એવી વસ્તુ છે કે જે તમને સ્વ થી દુર લઇ જાય છે.દુ:ખ/ગમગીની નો મતલબ માત્ર એજ કે તમે સ્વ થી દુર કોઈ હાર પળ બદલાતી ભૌતિક વસ્તુ મા અટવાઈ ગયા છો. 

સેન્સ તને સ્વ તરફ લઇ જનાર વસ્તુ છે. Sa-kha-ક્ન્પેનીયન/મિત્ર નો અર્થ છે-સખા એ છે કે જે તમારી સેન્સ બને છે/તમને જાગૃત રાખે છે.જો તમે મારી સેન્સ હોવ તો તેનો અર્થ એ છે કે- હું તમારા મારફત જ્ઞાન મેળવું છું;તમે મારી છઠ્ઠી ઇન્દ્રિય છો.જેમ હું મારા મગજ પર વિશ્વાસ કર્રું છું ,તેમ હું તમારા પર પણ વિશ્વાસ કરું છું..મિત્ર/ફેન્ડ એ એક સાધન પણ હોઈ શકે છે,જયારે સખા એ તો તમારી ઇન્દ્રિય જ છે.સખા એ એવી વ્યક્તિ છે કે જે તમારા સુ:ખો અને ડ:ખુ બન્ને મા સાથે જ હોય છે.તે એવી વ્યક્તિ છે જે તમને સ્વ/આત્મા  ભણી લઇ જાય છે.જયારે તમે ભોગ-વિલાસ મા અટવાઈ જાવ છો,ત્યારે જે શાણપણ તમને તેમાંથી બહાર કાઢી –આત્મા/સ્વ તરફ લઇ જાય છે,તે સખા છે.  

જ્ઞાન તમારું સાથી છે,અને તમારો સાથી જ્ઞાન છે.અને માલિક એ બીજું કોઈ નહી પરંતુ જ્ઞાન નું મૂર્ત સ્વરૂપ છે.તો સખા એટલે “તે મારી સેન્સ છે,અને હું વિશ્વ ને તેનાં શાણપણઅને તેનાં  વડે જોઉં છું 

જ્ઞાન ને છેડો/અંત હોય છે.જ્ઞાન પૂર્ણ થાય છે.તેથી શિષ્ય પણ પૂરો થાય છે.શિષ્ય નો ઉદેશ જ્ઞાન પ્રપ્ત કરવાનો હોય છે.નવ ગમે તેટલી સારી હોય,પરંતુ એક વાર તમે દરિયો ઓળંગી જાવ પછી નવ છોડી ડો છો.શિષ્ય ૧૨ વર્ષે અભ્યાસ પુરો કરે છે.ત્યારે માસ્ટર/ગુરુ દીક્ષાંત સમારોહ કરે છે અને છત્રો ને કહે છે કે-તમારો અભ્યાસ હવે પુરો થાય છે.અને હવે તમે આત્મા ના અનુસાર જીવજો.,અને બ્રાહ્મય તેજ પ્રગતવા દો.. 

સખા/યાકૂત એ જીવનને મરણ નો સાથી છે;તેનો અંત નથી.પ્રેમ ના પંથ મા શરૂઆત કે અંત હોતો નથી.શકતો માત્ર પ્રેમ નો જ પુજારી છે.ટે જ્ઞાન કે મુક્તિ ની ઝંખના કરતો નથી.લાલસા ને કારણે  પ્રેમ અપૂર્ણ રહે છે તેથી જ ટે અનંત છે,અનંતતા કદી પુરી ના થઇ શકે.અર્જૂન કૃષ્ણ નો સખો હતો.અને કૃષ્ણ પૂર્ણ/આદર્શ ગુરુ હતા, તેમ છતાં સખા પણ હતા.જો તમારી સેન્સ દિવ્ય હોય,તમને આખું વિશ્ દીવ્ય્તામય જ લાગશે.  

તમારું મગજ થોડા વર્ષો માટે ભોગ રૂપી કાદવ હશે: જો તમે જીવંત  હોવ તો આ કાદવ થી દુર રહો.જો તમે ભ્હોગ ને અનુસરશો ,તો દુ:ખો તમારો પીછો કરશે,જો તમે જ્ઞાન ને અનુસરશો તો,તમને આનંદ મળશે....