સંબંધો

તમારા જીવનસાથીને શોધવા માટે, પહેલા તમારા આત્માને મળો. કેવી રીતે તે જાણો!

જો તમને બોટ (વહાણ) ચલાવતા આવડતું હોય તો તમે ગમે તે બોટ ચલાવી શકો છો પરંતુ જો તમને નથી આવડતું તો બોટ ને બદલતા રહેવાથી પણ કોઈ મદદ નહીં મળી શકે. એવી જ રીતે, સંબંધો ને બદલતા રહેવાથી જરૂરી નથી કે સમસ્યા નો ઉકેલ આવે. પહેલા કે પછી તમે કોઈ પણ સંબંધમાં એક ની એક જ પરિસ્થિતિ માં રહેશો કેમકે કોઈ પણ નાતો તમે બાંધો છો તેમાં તમે તમારી પોતાની લાગણીઓ ને કેટલી સમજો છો,તમારા મન, તમારી સ્થિર રહી શકવાની આવડત અને દરેક વસ્તુને એક વિશાળ દષ્ટિકોણથી જોવાની કળાને કેટલી સમજો છો એ જ સૌથી અગત્યનુ છે.

આ દરેક માટે જ્ઞાન જરૂરી છે. જ્ઞાન જ વ્યક્તિ ને જીવનમાં ક્ષમતા, સ્થિરતા (ઠેરાવ) અને બહોળો દ્રષ્ટિકોણ આપે છે. મોટેભાગે આપણે બહાર બીજે બધે એક સર્વગુણસંપન્ન સંબંધ શોધતા રહીએ છે પરંતુ બહુ ઓછા લોકો પોતાની અંદર અવલોકન કરે છે પોતાના અંતરાત્મામાં, એ જગ્યા ત્યાં તેઓ ખરેખર સંકળાયેલા છે. સુંદર સંબંધ જાળવી રાખવા માટે પહેલા તમારે તમારી પોતાની જાત સાથે સરસ સંબંધ બનાવો જોઈએ. તમારે તમારી અંદર જોવાની જરૂર છે.

યોગ અને ધ્યાનના કાર્યક્રમો

જીવનની સમસ્યાઓ માટે સર્વગ્રાહી ઉકેલો